UAEમાં 3 ભારતીયો ઘાયલ થવા પર ભારત લાલઘુમ, મોદીએ ટ્વિટ કરીને લખ્યું- આ સ્વીકાર્ય નહીં

By: Nation Gujarat Team
05 May, 2026

UAEના ફુજૈરાહમાં ઓઇલ પોર્ટ પર થયેલા હુમલાને લઈને ભારતે નારાજગી વ્યક્ત કરી છે. સરકારે કહ્યું કે ત્રણ ભારતીયોનું ઘાયલ થવું ખોટું છે અને તેને સ્વીકારી શકાય નહીં.

ભારતે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા બંધ કરવા અને સામાન્ય લોકોને નિશાન ન બનાવવા જણાવ્યું છે. ભારતે કહ્યું કે પરિસ્થિતિને સંભાળવાનો સાચો રસ્તો વાતચીત અને રાજદ્વારી છે, જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.

ભારતે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ.

આ પહેલા UAEએ દાવો કર્યો હતો કે હુમલો ઈરાન તરફથી થયો હતો. તેઓએ 12 બેલિસ્ટિક મિસાઈલ, 3 ક્રુઝ મિસાઈલ અને 4 ડ્રોનને રોકવામાં સફળતા મેળવી. જોકે ઈરાને UAE ના આ આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી.

PM મોદીએ પણ આ ઘટનાને લઈને પોસ્ટ કરી અને કહ્યું કે સામાન્ય લોકો અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી.

છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ…

1. UAEના ડ્રોન પ્લાન્ટ પર હુમલો: ઈરાને UAEના ફુજૈરાહમાં એક પેટ્રોલિયમ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો. જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી. આમાં 3 ભારતીયો પણ ઘાયલ થયા છે.

2. પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ: અમેરિકાએ હોર્મુઝની આસપાસ પ્રોજેક્ટ ફ્રીડમ પહેલ શરૂ કરી. આ અંતર્ગત હોર્મુઝમાં ફસાયેલા વિદેશી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

3. દક્ષિણ કોરિયાના જહાજ પર હુમલો: હોર્મુઝ સ્ટ્રેટમાં દક્ષિણ કોરિયાના એક જહાજ પર હુમલો થયો જેના કારણે આગ લાગી ગઈ. ટ્રમ્પનું કહેવું છે કે આ હુમલો ઈરાને કર્યો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી.

4. જપ્ત કરાયેલ ઈરાની જહાજ સોંપાયું: અમેરિકી સેનાએ જપ્ત કરાયેલ ઈરાની જહાજ ટુસ્કાને પાકિસ્તાનને સોંપી દીધું. તેને 22 ક્રૂ મેમ્બર સાથે ઈરાન મોકલવામાં આવ્યું. અમેરિકી નેવીએ 21 એપ્રિલે આ જહાજને પકડ્યું હતું.

5. ઈરાનમાં ત્રણ લોકોને ફાંસી: ઈરાનમાં મોસાદ સાથે સંકળાયેલા હોવાના આરોપમાં લોકોને ફાંસી આપવામાં આવી. તેમના પર જાન્યુઆરી 2026માં તખ્તાપલટના ષડયંત્રનો આરોપ હતો. આ વર્ષે 25 રાજકીય કેદીઓને ફાંસી આપવામાં આવી છે.


Related Posts

Load more